Agri exports: લાલ સમુદ્રમાં કટોકટી (Red Sea Crisis), રશિયા-યુક્રેન યુદ્ધ અને સરકારે ઘઉં, ચોખા, ખાંડ તથા ડુંગળી જેવી મહત્ત્વપૂર્ણ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હોવાથી નિકાસ પર અસર પડી છે.
ગરમી વધવાથી શાકભાજીના સપ્લાય પર અસર પડી છે અને તેના કારણે આગામી કેટલાક મહિના સુધી મોંઘવારી દરમાં 0.4-0.6% વધારો થવાનો અંદાજ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે ભારતમાં ચોમાસું સારું રહેશે અને સામાન્ય કરતાં વધારે પડશે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ પડશે અને લા નીના તથા પોઝિટિવ IODથી ચોમાસું સારું રહેવાની શક્યતા છે.
weather forecasting company Skymetએ જણાવ્યું છે કે, આ વખતે લાંબા ગાળાની 880.6 મીમી વરસાદની સરેરાશના 98 ટકા જેટલો વરસાદ પડી શકે છે. ભારતમાં સરેરાશ વરસાદની 65 ટકા શક્યતા છે.
CWCના રિપોર્ટ અનુસાર, દેશનાં 86 જળાશયોમાં પાણીનું સ્તર 40% ઓછું છે અને 24 જળાશયોમાં પાણીનો સંગ્રહ 50%થી પણ ઓછો છે. દેશનાં મુખ્ય 150 જળાશયોમાંથી 6 જળાશયના તળિયા દેખાઈ રહ્યાં છે અને 12 જળાશયમાં પાણીનું સ્તર 10 ટકાની નીચે પહોંચી ગયું છે.
FCIના આંકડા અનુસાર, માર્ચ મહિનાના પ્રારંભે સરકારી વખારોમાં ઘઉંનો જથ્થો 97 લાખ ટન નોંધાયો છે, જે 2017 પછીનું સૌથી નીચલું સ્તર છે.
CRISILના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીની કિંમત અગાઉના મહિનાની સરખામણીએ 2% ઘટીને 27.5 રૂપિયા થઈ છે.
થાઈલેન્ડના એમ્બેસેડરે WTO વાટાઘાટ દરમિયાન ભારત સામે આરોપ લગાવ્યો હતો કે, ભારત સબસિડી પર અનાજ ખરીદે છે અને પછી મોંઘા ભાવે નિકાસ કરે છે. આ આરોપ સામે ભારતે સખત વિરોધ નોંધાવ્યો હતો.
PM Kisan યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 2023-24માં 14 ટકા ઘટીને 9.21 કરોડ થઈ છે, જે ગયા વર્ષે 10.73 કરોડ હતી. લાભાર્થીઓની અંતિમ સંખ્યા લગભગ 9.5 કરોડ છે.
ઉત્પાદન ઘટ્યું હોવાથી અને માંગ જળવાઈ રહેવાથી એક કિલોગ્રામ લસણના ભાવ વધીને 500 રૂપિયા થઈ ગયા છે, જે એક મહિના અગાઉ 250-300 રૂપિયા હતા.